ગરબા
From વિકિપીડિયા
ગરબા મુખ્યતઃ ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકો જાણીતી છે. આ નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. આ ભારત ના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણા વાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજી ની સ્તુતિ માં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.
[edit] ઇતિહાસ અને મહત્વ
ગરબાની શરૂઆત ઉત્તર ગુજરાતમાં થઇ હોવાનું મનાય છે. ગરબા શબ્દનો મૂળ અર્થ થાય છે &mdash કાણા વાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજી ની પૂજામાં મુકવામાં આવે છે. ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ "ગર્ભ" સાથે સંકળાયેલો હોઇ શકે.
નવરાત્રી દરમ્યાન સ્ત્રીઓ ભેગી થઇ માતાજીની સ્તુતિ ગાતી, અને આ ગરબા ની આજુબાજુ વર્તુળમાં નૃત્ય કરતી. આમ નવરાત્રીમાં ગરબાનું દીવા તરીકે મહત્વ વધ્યું, અને તે પરથી માતાજીના સ્તુતિ ગીતો તથા નૃત્ય બંનેને ગરબા એવું નામ મળ્યું. ગરબા એ બહુવચન શબ્દ છે. એકવચનમાં ગરબાને (દીવો, ગીત તથા નૃત્ય ત્રણે માટે) "ગરબો"(પુલ્લિંગ) કહેવાય છે.
ગરબા એક નૃત્ય છે, પણ નાચવાની ક્રિયા ને "ગરબા નાચવા", તેમ નહીં પણ "ગરબા રમવા", "ગરબે ઘુમવું", "ગરબા ગાવા", "ગરબા કરવા" વગેરે રીતે વાક્યમાં પ્રયોગ થાય છે.
ગરબો એ એક લોક સંસ્કૃતિ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં.
[edit] સાહિત્ય અને સંગીત
ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે. તે ગુજરાતી સંસ્કૃતી સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે બીન-ગુજરાતીઓ (અને ક્યારેક ક્યારેક ગુજરાતીઓ પણ) ગુજરાતી સંગીતની વાત આવે એટલે ગરબા એવું અર્થઘટન આપોઆપ કરી લે છે. ગુજરાતભરમાં માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે. કેટલાયે કવિઓ અને સંગીતકારોએ આધુનિક ગરબાઓ પણ રચ્યા છે. આ અનેક કલાકારોમાં કવિ/સ્વરકાર અવિનાશ વ્યાસનું પ્રદાન વિશેષ છે.